શૈક્ષણિક પ્રવાસ "સંસ્કૃત વિભાગ" - ગાંધીનગર
12/12/2023
ગાંધીનગર
તા. 10/12/2023 ના રોજ સંસ્કૃત વિભાગની અધ્યક્ષતામાં કોલેજના અન્ય પાંચ વિભાગ (સમાજશાસ્ત્ર, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, હિન્દી, અંગ્રેજી)ના વિદ્યાર્થીઓનો ગાંધીનગર અને આસ પાસના સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. વહેલી સવારે 6 વાગ્યે કોલેજ ખાતેથી ST બસની યાત્રા શરૂ થઈ ત્યારે સૌને વિદાય આપવા તેમજ ઉત્સાહ વર્ધન કરવા ઇતિહાસ વિભાગના અધ્યાપિક ડો. ધર્મેશ પરમાર ઉપસ્થિત રહ્યા અને પ્રવાસને રવાના કર્યો. સવારે 9 વાગ્યે ડોળીયા સ્થિત “શ્રી શંખેશ્વર નૈમિશ્વર જિનેન્દ્ર પ્રાસાદ – જૈન મંદીર” ની મુલાકાત લેવામાં આવી, ત્યારબાદ “START-UP CONCLAVE – 2023” ની મુલાકાત લઈને તુરંત ગાંધીનગર સ્થિત “ગુજરાત સાહિત્ય અકાદમી” ની મુલાકાત લીધી ત્યાર બાદ “અક્ષરધામ”ની મુલાકાતે વિદ્યાર્થીઓને દર્શનાર્થે લઈ જવામાં આવ્યા. આ ભવ્ય મંદીર જે ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે તેને જોઈ વિદ્યાર્થીઓએ એક જીવનનો ઉત્તમ લ્હાવો માણ્યાની અનુભૂતિ કરી, ત્યાર બાદ અમદાવાદની નજીકમાં અડાલજ ગામમાં સ્થિત વૈશ્વિક વારસો ધરાવતી 600 વર્ષ જૂની “અડાલજની વાવ” નું પુરાતત્વીય મહત્વ સમજતા સમજતા માર્ગદર્શક (ગાઈડ) ની મદદથી આ ગુજરાતનાં અમૂલ્ય વારસાની ઝાખી કરી. પ્રવાસના અંતે લીમડીની ભાગોળમાં આવેલ “અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ મંદીર”ની મુલાકાત કરી રાત્રે 1 વાગ્યે રાજકોટ પરત ફર્યા. આ પ્રવાસમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. જે.આર.તેરૈયા, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. ફરુક ખાન, હિન્દી વિભાગના અધ્યાપક ડો. રવિ ડેકાણી, ઇતિહાસ વિભાગના અધ્યાપિકા ડો. કિરણ વડોદરિયા, અંગ્રેજી વિભાગના અધ્યાપિકા ડો. કલ્યાણી રાવલ તેમજ રાજ્યશાસ્ત્રના અધ્યાપક ડો. પલ્કેશ ચૌધરી હાજર રહ્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. હેમલ વ્યાસનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન સૌનો ઉત્સાહ વધારતું રહ્યું આમ ખૂબ જ આનંદ પૂર્વક આ શૈક્ષણિક પ્રવાસ સફળ પૂર્ણ થયો.